Tuesday 29 July 2014
























પરમ પૂજય ભજન સમ્રાટ સંત શિરોમણી, વિશ્વવંદનીય શ્રી નારાયણ સ્વામીજી બાપુનાં બોધદાયક ભજનોની અનુભવ વાણીનાં શ્રવણ લાભનું સદભાગ્ય જેમેનેં સાંપડ્યું છે એ અતિ વિશાળ આમ જનતાંનાં કાનોમાં હજી પણ મીઠો મધુરો અવાજ રણકી રહ્યો છે. એમની વેધક અને મંત્ર મુગ્ધ કરનારી વાણીમાં એવી મીઠાશ હતી કે શ્રોતાવર્ગ મંત્રમુગ્ધ બની જતો.તેઓશ્રીનાં ભજનોના સંતવાણીના પ્રોગ્રામ જ્યાં જ્યાં થતો ત વિસ્તારનાં માઇલો સુધીમાં ભાવિભકતો અને પ્રેમીઓ પદપાળા ત્થા વાહ્નો દ્રારા પ્રવાસ કરી તેમની હદયવેધક સંતવાણીનો લાભ લેવાનું ચૂકતાં નહિં.
                કશાય બાહ્ય આડંબર કે ટીપટાપ વિનાં તેમની હદય વેધક સંતવાણીનાં વહેણ વહેંતા રહેતાં. સતત એકધારા ૮-૮ કલાક કે પુરી રાત તેમનાં ભકિતગાન પ્રેમ ઉદગારરૂપી ગંગામાં સ્નાનપાન કરનારા ભાવિકો પણ સમયનું ભાન સુધ્ધાં ભૂલી જતાં હતાં અને હજારોની સંખ્યામાં માનવમેદની જામેલી હોવા છતાં ટાંકણી પડે તોયે અવાજ થાય તેવી બે-નમૂન છબીવત શાંતિ પ્રવતી રહેતી. એજ તેમનં જ્ઞાન અને વાણીની ખેંચાણની મધુરતાં અને પ્રેમ હતોં.



Monday 28 July 2014










અનહદ નાદ

નાદના બે પ્રકાર છેએક આહત નાદ આઘાત ધ્વનિજે કોઈપણ જાતના આઘાતથી ઉત્પન્ન થાયબે મંજીરા ટકરાય ને રણકાર ઊપજેબે વાદળાં ટકરાય ને મેઘગર્જના થાયઆપણા ઉચ્છવાસથી ગળામાંની સ્વરયંત્રીઓમાં કંપન થાય ને અવાજ- શબ્દ બહાર પડેપણ બીજો એક નાદજેને માત્ર સાધનાની અમુક કક્ષાએ પહોંચેલા સાધકો જ સાંભળી શકે છેજેને કોઈ હદમાં બાંધી શકાય તેમ નથીજેને કોઈ જ પ્રકારનાં આરંભમધ્યઅંતસીમા કે બંધન નથી અને તે અનાહત નાદ- અનહદ નાદને વર્ણવતાં અનેક ભજનો આપણા સંત-ભક્તકવિઓએ રચ્યાં છે.