Monday 28 July 2014




અનહદ નાદ

નાદના બે પ્રકાર છેએક આહત નાદ આઘાત ધ્વનિજે કોઈપણ જાતના આઘાતથી ઉત્પન્ન થાયબે મંજીરા ટકરાય ને રણકાર ઊપજેબે વાદળાં ટકરાય ને મેઘગર્જના થાયઆપણા ઉચ્છવાસથી ગળામાંની સ્વરયંત્રીઓમાં કંપન થાય ને અવાજ- શબ્દ બહાર પડેપણ બીજો એક નાદજેને માત્ર સાધનાની અમુક કક્ષાએ પહોંચેલા સાધકો જ સાંભળી શકે છેજેને કોઈ હદમાં બાંધી શકાય તેમ નથીજેને કોઈ જ પ્રકારનાં આરંભમધ્યઅંતસીમા કે બંધન નથી અને તે અનાહત નાદ- અનહદ નાદને વર્ણવતાં અનેક ભજનો આપણા સંત-ભક્તકવિઓએ રચ્યાં છે.





No comments:

Post a Comment